અમીરગઢના ઘૂમતી પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત
બનાસકાંઠા માં અકસ્માતો નો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. દરરોજ અકસ્માતો ની વણઝાર ચાલી રહી છે. જેમાં અમીરગઢ તાલુકામાં અકસ્માતો નો દોર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અકસ્માતો ના સિલસીલામાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમીરગઢ માં આવલ ઘૂમતી પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા બંને બાઈક ચાલકો ઘાયલ થયા હતા. એક બાઈક ચાલકને પાછળ થી બીજી બાઈક અથડાતા અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં એક બાઈક ચાલક પોતાની બહેન ને કોઈ કામ થી ચિત્રાસણી ગામ મુકવા જઇ રહ્યો હતો. તે દરમ્યાન આવલ ઘૂમતી પાટિયા પાસે પાછળથી આવતી બાઈકે આગળ ચાલી રહેલી ભાઈ બહેન ને અડફેટે લેતા અકસ્માત સર્જાવા પામ્યો હતો.
બંને બાઈક ચાલકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાઈ ને નજર સામે જ બેભાન જોતા બહેન ને કાળજું કંપાવી દે તેવું રુદન કરવા લાગી હતી. અકસ્માત સર્જાતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને 108 ને બોલાવી ને બંને બાઈક ચાલકો ને સારવાર અર્થે પાલનપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતોની વણઝાર જોતા અમીરગઢ હાઇવે પર આ સાત દિવસ માં ચાર અકસ્માત થવા પામ્યા છે. જેમાં ચાર લોકો ના મોત થયા છે. અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.