પાટણ વિસ્તારના રહીશોએ રેલવે ફાટકઅંડરપાસ બનાવવા કલેકટરને આવેદનપત્ર
પાટણની શહેરના ખાલકશા પીર રોડ રેલવે ફાટક પાસે આવેલ સાઇ વિલા બંગ્લોઝ, સેવન વિહાર, દેવ નાયક, સૃષ્ટિ એવન્યુ, જય બંગલોઝ, અને જીલ રેસીડેન્સી દ્વારા ફાટક નંબર 42 સી ની જગ્યા ઉપર અંડર પાસ બનાવવાની માંગ સાથે પાટણ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
પાટણ શહેરના ખાલક્ષાપીર વિસ્તાર ની લગભગ 7 થી 8 સોસાયટીના રહીશો દ્વારા પાટણ કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું સોસાયટીના રહીશો એ જણાવ્યું હતું કે, ફાટક નંબર 42 Cની જગ્યાએ અંડરપાસ બનાવવામાં આવે તો અહીંના રહીશો ને સગવડ ભર્યું રહે તેમ છે .વધુમા જો તંત્ર દ્વારા અંડરપાસની માંગ નહીં સ્વીકારાય તો રહીશો દ્વારા રેલ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી. રેલવે ખંડ 42 સી.ની જગ્યાએ જ અંડરપાસ બને એવી અહીંના રહીશો ની એક જ માંગણી છે.તેઓને અન્ય રોડ માટે ના કોઈ વિકલ્પ સ્વિકાર્ય નથી તંત્ર ને અનુરોધ છે .