![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/19-21.jpg)
વિસનગરની માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ 191અસ્થિ વિસર્જન કરવા હરિદ્વાર નીકળ્યા
વિસનગરમાં આવેલ માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ વર્ષ 2011થી અસ્થિ વિસર્જન કરે છે. જેમાં વિસનગરમાં અસ્થિઓને એકત્રિત કરીને હરિદ્વાર ખાતે ગંગા નદીમાં અસ્થિઓની પૂજા કરીને વિસર્જન કરવામાં આવે છે. તેમજ ભોજનપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં આજે ગુરુવારે સવારે માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા 191 અસ્થિઓ લઈ હરિદ્વાર ખાતે નીકળ્યા હતા. જે આવતીકાલે તમામ અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે.વિસનગરની માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટએ વિવિધ સેવાકીય પ્રવુતિઓ કરે છે. જેમાં સેવાકીય પ્રવૃતિઓમાં માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ અગ્રેસર છે. જે સતત વર્ષ 2011થી અસ્થિઓને એકત્રિત કરી હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરે છે. જેમાં ગત મંગળવારે આદર્શ વિદ્યાલય હોલમાં શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ અસ્થિઓ ને શ્રદ્ધાંજલી સહ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પૂજન કરવામાં આવ્યું હતું.
આજે માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા વિસનગરથી હરિદ્વાર ખાતે જવા માટે નીકળ્યા હતા. જેમાં 191 અસ્થિઓની માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ ઓફિસમાં પૂજા અર્ચના કરી માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ ના પ્રમુખ કમલેશ વૈદ્ય સહિત સભ્યો નીકળ્યા હતા. જેમાં આવતીકાલે હરિદ્વાર ખાતે આ તમામ અસ્થિઓનું પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ હરિદ્વાર ખાતે ભોજન ભંડારો કરી દિવંગતના નામની પ્રસાદી ભિક્ષુકોને આપવામાં આવશે.આ અંગે માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટના કમલેશ વૈદ્યે જણાવ્યું હતું કે, માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા વર્ષ 2011થી અસ્થિ વિસર્જનનું કાર્યકમ શરૂ કર્યો હતો. અમારા જે 32 પ્રોગ્રામ થયા એમાં ગંગા માની ગોદમાં 6200થી વધુ ગંગાજીની ગોદમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવ્યું છે. જે આ અમારો 32મો કાર્યકમ છે. આવતીકાલે અમે હરિદ્વાર ખાતે પહોંચીશું અને સંપૂર્ણ વિધિ સાથે મા ગંગાજીની ગોદમાં અસ્થિ વિસર્જન કરીશું.