![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/05-23.jpg)
થરાદના રાહ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાનાં બાળકોને તિથિભોજન અપાયું
થરાદ તાલુકાના રાહ પગાર કેન્દ્ર શાળામાં આજ શાળાના પૂર્વ આચાર્ય એવા નરસિંહભાઈ મેઘાજી માળી દ્વારા તમામ બાળકોને મિષ્ઠાન તેમજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર સાથે બટુક ભોજન અપાયું હતું.
આ બટુક ભોજનના દાતાઓને જોઈને બીજા પણ સેવાભાવી લોકો તૈયાર થઈને બટુક ભોજન આપે તે આશયથી સ્થાનિક પત્રકાર મિત્રોએ તેમજ રાહ સરકારી કર્મચારી મિત્રોના ગ્રુપ દ્વારા પણ ભોજન દાતાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફગણે સાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું તેમજ તેમનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.