![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/37-12.jpg)
પાલનપુર માર્બલ ગ્રેનાઇટ એસોસિએશને યુજીવીસીએલને આપ્યું આવેદનપત્ર
ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજળીના દરમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે વીજ ટેરીફ રેટ ઘટાડવા અને ડ્યુટી માફીની માંગ સાથે આજે પાલનપુર માર્બલ એસોસીએશન દ્વારા વીજ કંપનીના એન્જીનિયરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માંગણી ઓ નહિ સંતોષાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતી વીજળીના રેટમાં છેલ્લા 6 મહિનામાં કમરતોડ વધારો કરાયો છે. હાલમાં મંદી ના માહોલ વચ્ચે વીજ કંપની દ્વારા લાઈટ બીલમાં ફ્યુઅલ ચાર્જ તો વધ્યા જ છે. જેની સાથે સાથે ડ્યુટી પણ વધારે છે. ત્યારે પાલનપુર માર્બલ એસોસીએશન દ્વારા આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવાયું હોવાનું સેક્રેટરી પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. જેમાં ટેરીફ રેટમાં કરાયેલો વધારો પરત ખેંચવા અને ડ્યુટી માફીની માંગ કરાઈ હતી. જે માંગણી ઓ નહિ સંતોષાય તો આંદોલન છેડવા ની પણ ચીમકી માર્બલ એસોસિએશને ઉચ્ચારી હતી.