![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/15-20.jpg)
શામળાજી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો
શામળાજીમાં કે.આર. કટારા આર્ટ્સ કોલેજ હાલમાં ચાલતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું માર્ગદર્શન, વૈજ્ઞાનિક રીતે અને આનંદ સહજ મળી રહે, તે હેતુથી ઉદિશા ક્લબના સંયોજનથી જાણીતા મોટીવેશન સ્પીકર અને સ્પર્ધાત્મક પરીક્ષાના મોડ્યુલસ નિર્માતા વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટે તેમનું વક્તવ્ય નિદર્શન સાથે કરીને સહુને અભિભૂત કર્યા હતા.
આ કાર્યક્રમના પ્રારંભે ડૉ. સંજય પંડ્યાએ ઉચિત્ત રૂપરેખા આપી વક્તાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં ડો સમીર પટેલ અને ડો વર્ષા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. ઉર્વશીબહેન પટેલે કરી હતી.