![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/10-21.jpg)
પાલનપુરની સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના બાળકોએ માટીમાંથી મૂર્તિ બનાવી
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી ગણપતિની મૂર્તિ ,ગુલાબ, ઢીંગલી વગેરે જેવા નમૂનાઓ બનાવવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનાબેન જે મકવાણા તથા તમામ શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહીત કરાયા હતા. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રી હરિભાઈ એન સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા.