અમીરગઢ FPSએસોસિએશન દ્વારા પડતર માગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ દીનદયાલ ગ્રાહક ભંડાર એસોસિયન દ્વારા પોતાની વિવિધ માંગોને લઇ મામલતદારને આવેદનપત્ર આપવામાં પાઠવ્યું હતું. જેમાં આવનાર સપ્ટેમ્બર મહિનામાં રેશનિંગ જથ્થો નહિ ઉપાડી હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

દીનદયાલ ગ્રાહક ભંડાર એસોસિયન અમીરગઢ દ્વારા પોતાની વિવિધ માંગો સરકાર દ્વારા ન સંતોસતા અંતે તેઓ હડતાલ પર ઉતારી રહ્યા છે. જેમાં સપ્ટેમ્બર મહિનાનો રેશનિંગ જથ્થો ડીલરો દ્વારા સ્વીકારવામાં આવશે નહિ જેથી લાભાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતું સસ્તા ભાવનું અનાજ મળશે નહિ. ઘણા સમયથી રેશનિંગ ડીલરો પોતાની માંગો ને લઇ સરકાર તથા અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરતા આવ્યા છે.સરકાર દ્વારા તેઓને માંગો સંતોષવા માટે આશ્વાશન પણ આપવામાં આવ્યું હતું પરંતુ હાજી સુધી તેને અમલમાં મુકેલ નથી માટે દીનદયાલ ગ્રાહક સેવા ભંડાર ગુજરાત એસોસિયન દ્વારા તેઓની વિવિધ માંગો માટે હડતાલ પાર રહેશે અને આ બાબતે દરેક જગ્યાઓ પર આવેદનપત્રો આપી તંત્રને જાણ પણ કરેલ છે. એટલે કે આવનાર મહિનામાં મળતો સસ્તા અનાજનો જથ્થો તેઓ ગોડાઉન પરથી લેશે નહિ અને લાભાર્થીઓને સસ્તા અનાજનો લાભ મળશે નહિ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.