![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/Rakhewal-290.jpg)
અમિષા પટેલ તેનીે કેરીયરની મોટી ફિલ્મો ઠુકરાવી દીધી છે
મુંબઈ, સુપરહિટ ફિલ્મ ગદ્દર ૨ થી અત્યારે ચારો તરફ ચર્ચામાં રહેનાર એક્ટર અમીષા પટેલે પોતાના કેરિયરની મોટી મોટી ફિલ્મો ઠુકરાવી છે. તેને લઇને હવે અમીષા પટેલે ખુલાસો કર્યો છે. આવુ કરવા માટે આખરે કારણ શુ હતું.
હાલમાં તો અમિષા પટેલ સની દેઓલ સાથેની ફિલ્મ ગદ્દર ૨ ફિલ્મની સફળતાની મજા લઇ રહ્યા છે. એ વાતથી કોઇ અજાણ નથી કે, અમિષા પટેલે કહોના પ્યાર હૈથી ફિલ્મમી કેરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. ત્યાર બાદ અમિષા પટેલની જ ચર્ચા થવા લાગી હતી.
ફિલ્મમાં ઘણા ઓફર આવવા લાગ્યા હતા. હવે તેને લઇને ખુદ અમિષા પટેલે ખુલાસો કર્યો છે. સલમાન ખાનની તેરે નામ, સંજય દત્તની મુન્નાબાઇ એમબીબીએસ અને શાહરુખ ખાનની ચલતે ચલતે માટે પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અમીષા પટેલે જણાવ્યુ હતુ કે, એવી ઘણી ફિલ્મો હતી જે હુ નહોતી કરી શકી. મારી ડેટ્સની સમસ્યાના લીધે તે ફિલ્મો ઠુકરાવી હતી. તેનો પછતાવો નથી. ચલતે ચલતે એ જ ફિલ્મોમાથી એક હતી.
મુન્નાભાઇ, તેરે નામ,, આવા ઘણા કારણ હતા જેના લીધે આ ફિલ્મો હુ નહોતી કરી શકી ફક્ત એક અમિષા છે તે દરેક જગ્યાએ ના જઇ શકે. અમિષાએ જણાવ્યુ હતુ કે, *જ્યારે અનિલજીએ મને પહેલી વાર ગદ્દરની સ્ટોરી સંભળાવી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીજના ઘણા મોટા ચહેરાઓ હતા હુ તેમનુ નામ નહી લવ પણ જેમણે મને કહ્યુ હતુ કે, તુ આ કિરદાર કેમ કરી રહી છે.