![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/13-17.jpg)
પાટણ ની ૐ નગર સોસાયટીમાં નાગણી નું રેસક્યું કરી નદી ના પટ મા છોડી મુકાઈ
પાટણ નગર પાલિકા વિસ્તારમાં આવતા હાશાપુરની ૐ નગર સોસાયટીમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે એક નાગણી જોવા મળી હતી. જેથી વિસ્તારના રહીશોમાં અફરા તફરી મચી હતી. જીવદયા પ્રેમીઓને ઘટનાની જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી નાગણીનું રેસ્ક્યૂ કર્યું હતું.
ત્યારે ત્યાંના રહીશોએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાગણી નીકળતા જ પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળને ટેલિફોનિક જાણ કરતા જીવદયા પ્રેમી રાજુભાઈ એમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી નાગણીનું રેસ્ક્યૂ કર્યું હતી. નાગણીને ડબ્બામાં પુરી સરસ્વતી નદીના પટ માં છોડવામાં આવી હતી. જેથી ૐ નગરના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. જીવદયા પ્રેમી રાજુભાઈ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.