સોળગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખની રજૂઆત : ખોટા દસ્તાવેજના આધારે થતી લગ્નની નોંધણી અટકાવવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્નની નોંધણી થતી હોવાની રજૂઆત સાથે યોગ્ય તપાસની માગ સોળગામ લેઉવા પાટીદાર સમાજ,પાલનપુરના પ્રમુખ રમેશપટેલ દ્વારા કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી અને ડીડીઓને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ખોટા લગ્ન નોંધણી કરાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. સમાજના આગેવાન તરીકે આપ સાહેબને નમ્ર વિનંતી કે, બનાસકાંઠા જિલ્લામાં સમી અને અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ખાતે તેમજ બનાસકાંઠા જિલ્લાની અન્ય કોઇ જગ્યાએ ગ્રામ પંચાયતો, નગર પંચાયતો અને નગરપાલિકાઓમા આવી રીતે ખોટા લગ્ન નોંધણીનું રેકેટ ચાલતું હોય તો, તે માટેની જિલ્લાની લગ્ન નોંધણી કરતી તમામ કચેરીઓમા તપાસ કરી ષડયંત્ર પકડવા તેમજ ષડયંત્ર કરનાર અધિકારીઓ સામે ખાતાકીય અને આમાં મદદ કરનાર વ્યક્તિઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા વિનંતી. તેમજ ફરિયાદ નોંધાવી બનાસકાંઠા જિલ્લામાં દાખલો બેસે તેવા ભગીરથ કાર્યમાં મદદ કરવા સમાજના આગેવાન તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું. તથા હવે પછી લગ્ન નોંધણી કરવા માટે વર-વધુના માતા-પિતા કે કાયદેસરના વાલીની સંમતિ ફરજિયાત કરતો કાયદો ઘડવા વિનંતી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.