પાલનપુરના અંબાજી મંદિરમાં અધિક શ્રાવણ માસની ઊજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર બ્રિજેશ્વર કોલોની સ્થિત અંબાજી મંદિરમાં વિસ્તારના સ્થાનિક મહિલા મંડળ દ્વારા અધિક શ્રાવણ માસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિસ્તારની મહિલાઓ દ્વારા મંદિરમાં અધિક શ્રાવણના છેલ્લા દિવસે મંદિરમાં ભવ્ય સમાપન કાર્યક્રમ ઉજવાયો હતો. બહેનોએ જણાવ્યું હતું કે અમે “80 બહેનો છીએ. અક્ષર પુરુષોત્તમ મહિનો છે. આખો મહિનો ભક્તિ ભાવપૂર્વક ભજન-કીર્તન કરી આખા મહિના દરમિયાન ધાર્મિક કાર્યો કર્યા હતાં. અંતિમ દિવસે મંદિરમાં જુદીજુદી ચીજવસ્તુઓનું દાન કરી ઉજવણી કરી છે. મંદિરના મેદાનમાં ખેતરનું વાવેતર કરી રોજેરોજ તેની પૂજા કરી ભક્તિ ભાવપૂર્વક માહોલ સર્જી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.