![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/16-13.jpg)
પાંથાવાડાની કોલેજમાં અખંડ ભારત સંકલ્પ સંસ્કાર અને શિક્ષણ કાર્યક્રમ યોજાયો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તિરુપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગત રોજ અખંડ ભારત સંકલ્પ સંસ્કાર અને શિક્ષણ અંગે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પધારેલ જિલ્લા કુટુંબ પ્રબોધન પ્રમુખ ડીસા અને સંઘના કાર્યવાહક ગોવિંદભાઈ પ્રજાપતિ અને પાંથાવાડા વિસ્તારનાં ભરતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપલ ભરતભાઈ પ્રજાપતિ દ્વારા ગોવિંદભાઈ પ્રજાપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ પ્રજાપતિએ અખંડ ભારત એકતા સંસ્કાર સાથે શિક્ષણને અનુરૂપ વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રો.સેજલબેન જોશી અને પ્રો.વિષ્ણુભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું.