સિદ્ધપુરના દશાવાડામાં ભેંસોની ખરીદી કરીને 10 લાખની રકમ ન આપતાં છેતરપિંડીની ફરિયાદ

પાટણ
પાટણ

સિધ્ધપુર તાલુકાનાં દશાવાડા પાટીયા પાસે ભેંસોની ખરીદી કરીને તેનાં પૈસાની ચૂકવણી બાબતે રૂા.7,49,000ની રકમ નહિં ચૂકવીને ઠગાઇ આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુરની અમૃતપાર્ક સોસાયટીમાં રહેતા ફરિદમીયાં જુલેરમિયાં સૈયદ સિધ્ધપુરનાં કાલેડા ગામનાં પ્રવિણભાઇ ગોવાભાઇ ચૌહાણ પાસેથી અગાઉ બે ભેંસો વેચાતી લીધી હતી. તેનાં પૈસા વાયદા મુજબ આપી દીધા હતા ને તેથી વિશ્વાસ પેદા થયો હતો. આ પછી તા. 15-1-21 નાં રોજ સિધ્ધપુરનાં દશાવાડા ગામનાં જાહેદઅલી સેલીયાનાં તબેલામાંથી 26 જેટલી ભેંસો ફરિદમીયાંએ વેચાણે લીધી હતી. ને જે તે વખતે રૂા.3,85,000ની રકમ જાહેદઅલીને આપી હતી ને બાકીના રૂા. 10,19,000 લેવાનાં નિકળતા હતા. જે બાબતે પ્રવિણભાઈ વચ્ચે રહીને જામીન થયા હતા. આથી પ્રવિણભાઇએ જાહેદભાઇને રૂા. 7,49,000 આપી દીધા હતા. પરંતુ આ ભેંસો ખરીદનાર ફરિદમીયાંએ પ્રવિણભાઇ કે જાહેદભાઇને બાકીનાં પૈસા નહિં ચૂકવીને તેઓ વાયદા આપ્ય જતા હતા. આથી તેમણે ફરિદમીયાં સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી 406/420 મુજબ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.