પાટણના ગુજરવાડામાં અધિક માસની કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ યોજાયો

પાટણ
પાટણ

પાટણ શહેરમાં ગુર્જરવાડા ખાતે ચાલી રહેલ અધિક માસની કથામાં રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના ગુર્જરવાડા સમસ્ત પરિવાર દ્વારા આયોજિત શ્રાવણમાં અધિકમાસ પુરુષોત્તમ ભગવાન તેમજ શ્રીમદ ભગવાન જ્ઞાન યજ્ઞ કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી ગીરીશ ભાઈ રાવલ દવરા રસપાન કરવી રહ્યા છે ત્યારે જેમાં વિવિધ પ્રસંગ ઉજવવા માં આવે છે .જેમાં રુક્ષ્મણી વિવાહ નું પણ આયોજન કરાયુ હતું જે નિમિત્તે વરઘોડો યોજાયો હતો .રુક્ષ્મણી વિવાહ ના યજમાન પદે પટેલ સંજય કુમાર કાંતિલાલ, કેતન કુમાર કાંતિલાલ, સંજય કુમાર કાંતિલાલ દ્વારકાધીશ માંઢ વાડા લીધો હતો.ત્યારે તેમના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે રુક્ષ્મણી વિવાહ વરઘોડો નીકળ્યો હતો જેમાં સમસ્ત ગુજરવાળા યુથ ક્લબના પરિવારના સભ્યો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.