મોડાસામાં બિપરજોય સમયે સ્મશાનના ઉડી ગયેલા પતરા હજુ સુધી નથી નખાયા

અરવલ્લી
અરવલ્લી

તંત્ર દ્વારા ગામડે-ગામડે તમામ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થઈ હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પણ જમીની હકીકત એ છે કે આજે પણ ઘણાય ગામો એવા છે કે જ્યાં પાયાની સુવિધાઓનો અભાવ હોય છે. જીવતા સુવિધા નથી મળતી પણ મર્યા બાદ પણ છેલ્લી સુવિધા પણ સરખી પ્રાપ્ત થતી નથી.મોડાસા તાલુકાના ભીલકુવા ગામની. આ ગામ 1500થી વધુ વસ્તી ધરાવે છે. આ ગામને છેડે સ્મશાન આવેલું છે. આ સ્મશાનના પતરા બિપરજોય વાવાઝોડા વખતે ઉડી ગયા હતા. હાલ સ્મશાન બિલકુલ પતરા વગરનું છે. જ્યારે જ્યારે મરણનો પ્રસંગ આવે અને મૃતદેહને લાવવામાં આવે ત્યારે પતરા ના હોવાના કારણે ઉનાળામાં ભારે તડકો અને હાલ ચોમાસાનો સમય છે. ત્યારે વરસાદી માહોલમાં અંતિમવિધિમાં ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.આ બાબતે ગ્રામપંચાયતમાં અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છે. ત્યારે આજે સ્થાનિક ગ્રામપંચાયત સદસ્યએ તંત્ર પાસે સ્મશાનના ઉડી ગયેલા પતરા નવા નાખવાની માગ કરી છે. ત્યારે માણસને તંત્રના દાવા મુજબ જીવતા તો પાયાની સુવિધા પ્રાપ્ત ના થઇ પણ માર્યા પછીની છેલ્લી અંતિમક્રિયા માટે પણ સરખી તંત્ર દ્વારા સુવિધા આપવામાં નથી આવતી. ત્યારે આ ભીલકુવા ગામના સ્મશાનના પતરા ઝડપથી નંખાય એવી ગ્રામપંચાયત સદસ્યની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.