અંબાજીમાં માટી હાથમાં લઈ પંચ પ્રાણ લઈ હાથોમાં તિરંગા યાત્રા નીકળી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ”આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ”મારી માટી – મારો દેશ” કાર્યક્રમ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ત્યારે આજે સમગ્ર દાંતા તાલુકો દેશભક્તિના રંગે રંગાઇ ગયો હતો. આજે અંબાજી અને દાંતા પોલીસ દ્વારા દેશભકિતના માહોલમાં ”મારી માટી – મારો દેશ” અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતા અંબાજીની પોલીસ દ્વારા તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં પોલીસ અને મોટી સંખ્યા ગ્રામવાસી, નેતાઓ, સમાજસેવકો દેશભક્તિના રંગે રંગાઈ માટી હાથમાં લઈ પંચ પ્રાણ લઈ હાથોમાં તિરંગા લઈ યાત્રાની શરૂઆત કરી હતી.આજરોજ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને અંબાજી મંદિરના ચાચર ચોકથી અંબાજી હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અંબાજી ખાતેના હોમગાર્ડ અંબાજીના બાળકો અંબાજી કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને શહીદોને યાદ કરવામાં આવ્યા અને એ અનુસંધાને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આજરોજ દાંતા પોલીસ સ્ટેશન ખાતેથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આજે દાંતા પોલીસ સ્ટેશનથી લઈને બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયત આગળથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના નેતાઓ અને ગ્રામ વાસીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. દાંતા પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાંતાના વિવિધ માર્ગોથી પસાર થઈને આઝાદ ચોક ખાતે પરિપૂર્ણ થઈ હતી. તો સાથે સાથે દાંતાના પોલીસ જવાનો અને હોમગાર્ડ, ગ્રામજનો સહિત નેતાઓએ શહીદોને નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.