થરાદ નેશનલ હાઈવે રોડ પર ઉભા રહેતા લારીઓવાળા પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ નેશનલ હાઈવે ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ કચરો હાઇવે પર ઉભા રહેતા લારીઓવાળા કરતા હોવાનું પણ ચર્ચાસ્પદ છે. પર્યાવરણ માટે પ્રતિકુળ આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી પર્યાવરણપ્રેમીઓમાં લાગણી ઉઠવા પામી છે. થરાદ રેફરલ હોસ્પિટલથી લઇ અને હાઇવે ચાર રસ્તા સુધી રોડની સાઈડમાં ઉભા રહેલા લારીઓવાળા તેમજ નાસ્તાવાળા ખુલ્લેઆમ ગંદકી કરીને પ્લાસ્ટિક ઉપર રોડ ઉપર નાખી રહ્યા છે. આ પ્લાસ્ટિકના ઢગલા રોડ ઉપર નાખતાં અનેક અબોલ પશુઓ જેવા કે ગાય, આખલા પ્લાસ્ટિક ખાતા હોય છે. જેને લઇને ગાય અને આખલાના મૃત્યુના બનાવો પણ બને છે. આથી સત્વરે આ રોડ ઉપર પડેલા કચરાના અને પ્લાસ્ટિકના ઢગલાનો નિકાલ કરી પગલાં ભરશે કે કેમ તેના પર પણ સૌની નજર મંડરાવા પામી છે. થરાદની પ્રાઇવેટ હોસ્પિટલોની આગળ ઉભા રહેલા લારીઓ વાળાઓ ખુલ્લેઆમ રોડ ઉપર કચરો અને પ્લાસ્ટિક નાખી રહ્યા છે. આથી ગંભીર રોગચાળાની દહેશત પણ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.