અંબાજીના યોગેશ્વરનગરમાં પાલનપુરના કથાકાર પારસભાઈ રાજગુરુ કથાનો ભક્તિરસ પીરસશે

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજીમાં અનેકો ધાર્મિક ઉત્સવો યોજાતા હોય છે. યાત્રાધામ અંબાજી કરોડો લોકોનું આસ્થા કેન્દ્ર છે. ત્યારે માઁ જગતજનની અંબાના ધામે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજતા હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સવ અને કાર્યક્રમોમાં ભાગ લઈ તેને સફળ બનાવતા હોય છે. માતાજીના ધામે અનેક ધાર્મિક કથાઓનું પણ આયોજન થતું હોય છે. જેમાં ધર્મપ્રેમી જનતા કથાનો લાભ લેવા પહોંચતી હોય છે. પોતાના જીવનમાં બદલાવ સાથે ભક્તિમય માહોલમાં છવાઈ જતા હોય છે. ત્યારે વધુ એક કથાની શરૂઆત અંબાજીમાં થઈ છે. યાત્રાધામ અંબાજીમાં આવેલા યોગેશ્વરનગરમાં રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામચરિત્ર માનસ કથા નવ દિવસ સુધી ચાલશે. જે દરરોજ રાત્રે 9 કલાકથી 11 કલાક માટે થશે. કથામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ભક્તિમય માહોલમાં છવાઇ જતા હોય છે. રામચરિત્ર માનસ કથાના પ્રવક્તા પાલનપુરના કથાકાર પારસભાઈ રાજગુરુ કથાનો ભક્તિરસ પરોસી રહ્યા છે. રામ ચરિત્ર માનસ કથાનું આયોજન તારીખ 12/8/2023 થી શરૂ થઈને તારીખ 20/8/2023 સુધી ચાલશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.