મેઘરજની કેશરપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા સતત ત્રણ વર્ષથી ગેરહાજર : સ્થાનિકોની બીજો શિક્ષક મુકવા માંગ

અરવલ્લી
અરવલ્લી

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે નક્કી કરેલા વિદ્યાર્થી દીઠ શિક્ષકોની ફાળવણી કરેલી છે. ત્યારે મેઘરજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ધો 1 થી 5ના 25 વિદ્યાર્થીઓ એક જ શિક્ષક પાસે અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે એક શિક્ષિકા સ્કૂલમાં જ નથી આવતા મેઘરજ તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ ચાલી રહ્યો છે. શાળામાં કુલ 25 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં એક શિક્ષક અને એક શિક્ષિકા એમ બે શિક્ષકો છે. પણ સર્મીષ્ઠાબેન પટેલ નામની શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં આવતા જ નથી. શાળાની એસએમસી કમિટીએ અનેક વખત શિક્ષણ વિભાગમાં આ અંગે રજુઆત પણ કરી છે. પરંતુ શિક્ષિકા હાજર થતા જ ન નથી. આ સંપૂર્ણ હકીકત શાળાની નિમાયેલ એસએમસી કમિટીના સભ્ય જયંતિ ભાઈ નિનામાંએ જણાવી છે.અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન પટેલને પૂછતાં તેઓએ જણાવ્યુ હતું કે, આવું કોઈ શાળામાં હોય કે કોઈ શિક્ષક ના આવે તો આસપાસની શાળાના ગ્રુપમાંથી જ વ્યવસ્થા થઈ જતી હોય છે. પણ આટલા લાંબા સમયથી જો કોઇ શિક્ષિકા ગેરહાજર રહેતા હોય તો એ બાબતે ચોક્કસ તપાસ કરી કાર્યવાહી કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.