ડીસામાં સરકારે 2022 વિધાનસભાની ચૂંટણી સમયે આપેલું વચન ન પાળતા શિક્ષકો રોષે ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં ગુજરાત સરકારે ચૂંટણી પહેલા શિક્ષકોને આપેલા વચનો મુજબ ઠરાવ ન કરતા હવે શિક્ષકો રોષે ભરાયા છે અને આજે ડીસા ખાતે શિક્ષકોએ મૌન ધરણા યોજી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેમના અલગ અલગ કાર્યક્રમો ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો તેમના અનેક પ્રશ્નો અને સમસ્યાઓના કારણે હેરાન થઈ રહ્યા છે. જેના માટે જિલ્લાના શિક્ષકોએ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ સરકારે શિક્ષકોને તેમના પ્રશ્નો હલ કરવાની બાંહેધરી આપી આંદોલન સમેટવાની ભલામણ કરતા શિક્ષકોને તેમનું આંદોલન અટકાવી દીધું હતું. જેમાં સરકારે ચૂંટણી પૂર્ણ થયા બાદ જૂની પેંશન યોજના, શિક્ષકોની ભરતી, ખાતાકીય પરીક્ષા વગર પટાવાળાને પ્રમોશન, પ્રવાસી શિક્ષકોની ભરતી,નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડમાં રૂપાંતર સહિતના પ્રશ્નોને હલ કરવાની વાત કરી હતી. પરંતુ ચૂંટણી પત્યા બાદ સાત મહિના જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી સરકારે આ મામલે કોઈ જ ઠરાવ ન કરતા હવે શિક્ષકો ફરી પાછા આંદોલનના માર્ગે વાળ્યા છે. જેમાં આજે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ ડીસા ખાતે પણ સાંઈબાબા મંદિર ખાતે શિક્ષકોએ મૌન ધરણા યોજી પ્લે કાર્ડ સાથે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક સરકારે આપેલા વચન મુજબ ઠરાવો કરવા રજૂઆત કરી હતી.આ અંગે શિક્ષક આગેવાન હરેશ ડાભી, અંકીતા રાઠોડ અને આનંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે તમે અહીં શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સરકાર સામે મૌન ધરણા યોજ્યા છે. સરકારે ચૂંટણી પહેલા શિક્ષકોની માગ સ્વીકારી તેનો હલ કરવાની લેખિત ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ જ ઠરાવ ન થતાં અમે આજે મૌન ધરણા યોજી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે અને તાત્કાલિક તમારા પ્રશ્નો હલ થાય તે માટે રજૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.