પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે એકાદશીના પર્વની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતે ધાર્મિક તહેવારોની ભક્તિ સભર માહોલમાં ટ્રસ્ટી મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે શનિવારના પવિત્ર દિવસે એકાદશીના વ્રતની સમૂહમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી.પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે એકાદશી વ્રતની સમૂહ ઉજવણીના પવિત્ર પ્રસંગે વહેલી સવારે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને મહા આરતી બાદ ભગવાન સન્મુખ સુંદર મજાની એકાદશી વ્રતની ઉજવણી ને અનુલક્ષી ધાર્મિક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ 31 જેટલા યજમાન પરિવારો દ્વારા એકાદશી વ્રતની પૂજા અર્ચના સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે પાટણના બ્રાહ્મણો દીપક મહારાજ, ચિન્ટુ મહારાજ, જગન્નાથ મંદિર ના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી. પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતે શનિવાર ના પવિત્ર દિવસે આયોજિત કરાયેલ અગિયારસ ની સમૂહમાં ઉજવણીને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.