![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/08-33.jpg)
સમી તાલુકાનાં ગોચનાદ ગામે તસ્કરોએ ઘરમાં અંદરની તિજોરીમાંથી ચોરી કરી ફરાર
સમી તાલુકાનાં ગોચનાદ ગામે તસ્કરોએ ઘરમાં અંદરની તિજોરીઓમાંથી 87000ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની મળતી માહિતી મુજબ સમીનાં ગોચનાદ ગામે રહેતા જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા હજુભા વાઘેલા પરિવાર સાથે તા. 10મી રાત્રે ઘરની બહાર ઓસરીનાં ભાગે સુતા હતા અને ઘરનો દરવાજો આડો કરેલો હતો ને તાળુ માર્યું નહોતું.રાત્રે બે વાગે પેશાબ કરવા જાગેલા જિતેન્દ્રસિંહની નજર ઘરનાં બારણાં પર પડી તો જોયું કે, દરવાજો ખુલ્લો હતો. જેથી ઘરમાં જઇને જોતાં અંદર રૂમમાં આવેલી ત્રણેય તિજોરી ખુલ્લી હતી ને શુટકેશો નીચે પડેલી હતી તથા કપડાં બક્ષાનો સામાન વેરવિખેર હતો. તેઓએ સામાન તપાસતાં શુટકેશમાં રાખેલા પૈસા પૈસા, દાગીના મળ્યા ન હતા. જે શુટકેશમાં રાખેલા મકાનની લોનનાં રૂા.45000 તથા સોનાની 30 ગ્રામની રૂા. 40 હજારની 8 વીંટીઓ, ચાંદીનાં રૂા. 2000નાં 250ગ્રામનાં બે છડા મળી કુલે રૂા. 87000ની મતાની કોઇ ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધાયો હતો.