અંબાજી માં 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ શ્રધ્ધાળુઓ માટે ફરીથી શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં આવેલ 51 શક્તિપીઠ યાત્રાધામ અંબાજીનો પરિક્રમા માર્ગ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. ગબ્બર વિસ્તારમાં દીપડો આવી ચઢતા પરિક્રમા પથ શ્રદ્ધાળુઓ માટે 5 દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો. જો કે, વન વિભાગે પુષ્ટિ કરી છે કે દીપડો રાજસ્થાન તરફ જતો રહ્યો છે. વન વિભાગ દીપડાની ગતિવિધિ પર સતત 5 દિવસથી કેમેરા મારફતે નજર રાખી રહ્યુ હતું. તેથી હવે શ્રદ્ધાળુઓ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પરિક્રમા પથ પર જઇ શકશે. જો કોઇ પણ વ્યક્તિ દીપડા અંગેના ખોટા વીડિયો વાયરલ કરશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અંબાજી વિસ્તાર બાલારામ અભ્યારણમાં સામેલ થઇ ગયો હોવાથી જંગલ વિસ્તારમાં જાનવરોનો વસવાટ રહે છે. ગબ્બરના જંગલ વિસ્તારમાં રીંછ, દીપડો જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે. તેમને દૂર કરવા યોગ્ય ન હોવાથી જંગલ વિસ્તારમાં જતા લોકોએ સાવચેતી રાખવી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.