યાત્રાધામ અંબાજી ખાતે દેશભક્તિના રંગે રંગાયો:”મારી માટી-મારો દેશ”ની ભવ્ય ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ”આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ”મારી માટી-મારો દેશ” કાર્યક્રમ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. આ કાર્યક્રમના ત્રીજા દિવસે યાત્રાધામ અંબાજી દેશભક્તિના રંગે રંગાયો હતો. જે અન્વયે ગ્રામ આગેવાનો અને અંબાજી ગ્રામ પંચાયતના કર્મચારી દેશભકિતના માહોલમાં ”મારી માટી-મારો દેશ” અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ દેશભક્તિના રંગે રંગાઈ માટી હાથમાં લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.”મારી માટી-મારો દેશ, માટીને નમન-વીરોને વંદન” કાર્યક્રમના આયોજનથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનઓ, વડીલો, માતા, બહેનો અને બાળકો સહિતના ગ્રામજનો “મારી માટી, મારો દેશ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. તેમજ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. સ્થાનિક આગેવાનઓ, મહાનુભાવો દ્વારા અધિકારીઓ સાથે બાળકોએ અંબાજી હાઈસ્કૂલ ખાતે શિલાફલકમનું પૂજન અર્ચન કરી અનાવરણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીધા હતા. તો સાથે સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોને યાદ કરીને વીરોને વંદન થકી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતુ. આજે યાત્રાધામ અંબાજી ગામમાં ”મારી મારી – મારો દેશ” કાર્યક્રમ રાષ્ટ્ર ભકિતની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.