થરાદના પાવડાસણ ગામે શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના પાવડાસણ ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ પવિત્ર (અધિકમાસ) ની કથામાં ભાગ લઇ રહ્યા છે. પ.પૂજ્ય મહંત શ્રી યોગી જગદીશનાથજી મહારાજના સાનિધ્યમાં આ કથાનું રસપાન પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ઈશ્વરભાઈ દવે (જડિયાલી) ના મુખારવિંદથી કરવામાં આવી રહ્યું છે. કથામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ અને ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ ભક્તિના રંગે રંગાઈને દરેક લોકોએ કૃષ્ણ ભગવાનની વાલી અને અતિ પ્રિય ગૌમાતાઓની સેવાનો પણ લાભ લીધો હતો. આ કથામાં વસનાભાઈ જુંજાજી કરગટા અને સુરેશભાઈ ભગવાનજી કરગટા પરિવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મહાઆરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.