પાવર સપ્લાય ખોટકાતાં સાબરમતીથી જોધપુર જતી વંદે ભારત ટ્રેન પાલનપુર નજીક બંધ પડી

બનાસકાંઠા
બનાસકાંઠા

સાબરમતીથી જોધપુર જઈ રહેલી વંદે ભારત ટ્રેનનો સિધ્ધપુર થી પાલનપુર વચ્ચેના ઉમરદશી નજીક પાવર સપ્લાયમાં ક્ષતિ સર્જાતા દોઢથી બે કલાક ટ્રેન ઉભી રહી હતી. ગત સાંજે પોણા સાત વાગે પાલનપુર જંકશન આવતી ટ્રેન સવા આઠની આજુબાજુ પાલનપુર પહોંચી હતી. આ ક્ષતિ ના લીધે પાલનપુર અમદાવાદના ટ્રેનોના અવરજવર પર અસર થઈ હતી. વૈષ્ણોદેવી કટરાથી અમદાવાદ આવી રહેલી ટ્રેનને પાલનપુર પડી રખાઇ હતી. વૈષ્ણોદેવી ટ્રેનના મુસાફરોએ જણાવ્યું કે બે કલાકથી પ્લેટફોર્મ પર ઉભા છીએ આગળ કોઈ જગ્યાએ વંદે ભારત ટ્રેન બગડી હોવાથી અમે ટ્રેક ખુલ્લો થાય અને ટ્રેન શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છીએ.પાલનપુર રેલવે સ્ટેશન માસ્તર મીણાએ જણાવ્યું હતું કે 6:40 સે વંદે ભારત ટ્રેન પાલનપુર પહોંચવાની હતી તે ઉમરદશી નજીક પાવર સપ્લાયમાં ક્ષતિ સર્જાતા ત્યાં જ અટકી ગઈ હતી સમારકામ કરીને શરૂ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.