કાંકરેજના કંબોઇ-ઉંબરી વચ્ચે રેલવે બ્રિજના પિલ્લરના સળિયા દેખાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકામાંથી પસાર થતી પાટણ-ભીલડી રેલવે લાઈન કંબોઇ-ઉંબરી વચ્ચે પસાર થતી બનાસ નદી ઉપરથી પસાર થાય છે. જેથી કંબોઇ-ઉંબરી વચ્ચેની બનાસ નદીમાં રેલવેનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજને લાંબો સમય પણ થયો નથી. લગભગ 2019 આજુબાજુ પાટણ-ભીલડી રેલવે લાઈન ચાલુ કરવામાં આવી છે. ત્યારે આ બ્રિજ 12 કોઠી પર ઊભો કરવામાં આવ્યો છે જેમાં એક કોઠીમાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચરના 9 પિલ્લર છે. નદીના પાણી ઓસરતાં હવે આ પિલ્લર દેખાવા લાગ્યા છે જેમાં કેટલાક પિલ્લરમાં માત્ર સળિયા દેખાઈ રહ્યા છે.જેથી લોકોમાં આ બ્રિજ ચર્ચાનો વિષય બન્યો હતો. પાટણ-ભીલડી રેલવે લાઈન પર રોજની 20થી વધુ ટ્રેનો પસાર થાય છે. માલવાહક અને પેસેન્જર ટ્રેનો પણ નીકળે છે. સામાન્ય લાપરવાહી પણ ગંભીર ઘટનાને જનમ આપી શકે છે ત્યારે હાલતો જ્યાં સળિયા બહાર દેખાતા હતા તે જગ્યાને પૂરી દેવામાં આવી છે. એક્સપર્ટ ટીમના અભિપ્રાય બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે એમ ટેકનિકલ ટીમના સભ્યએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.