![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/42-2.jpg)
પાટણ જિલ્લામાં જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં 838 વિદ્યાર્થીઓ થયા પાસ
ગુજરાત સરકારની જ્ઞાન સાધના યોજનાની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા ઓનલાઈન પોર્ટલમાં પસંદગી કરવા માટે સરકાર દ્વારા 7 -8 -23 થી 14-8- 23 સુધી વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી પોતાની શાળા પસંદગી કરવાની રહેશે.ત્યારે પાટણ જિલ્લાના 838 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનની પરીક્ષા માં પાસ થતા તેમને ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે.ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા હોશિયાર વિધાર્થિઓને અભ્યાસ અર્થે દર વર્ષે સહાય ચુકવવામાં આવશે. આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ” જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ” લેવામાં આવી હતી. જેમાં ધો 10 અને 12 ઉત્તિર્ણ થનાર તેજ્સ્વી વિધાર્થીઓને સરકાર દ્વારા 22,000 અને ધો 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 25000 રુપિયા ની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની પરીક્ષામાં ગુજરાત માંથી 28000 થી વધુ વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે . ત્યારે જે વિદ્યાર્થીઓ યાદીમાં નામ આવ્યું હોય તે 07/08/2023 થી 14/08/2023 ના રાત્રીના 12:00 વાગ્યા સુધી વેબસાઈટ http//gssyguj.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આધાર-પુરાવા અપલોડ કરવા જણાવ્યું છે.પાટણ જિલ્લામાં જ્ઞાન સાધના યોજના સ્કોલરશીપ યોજના માં પાટણ જિલ્લા માંથી 838 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં પાટણ 178,સરસ્વતી તાલુકા માં 200,સિદ્ધપુર 152,ચાણસ્મા 168,હારીજ 104,સમી 128,રાધાનપુર 232,સંતાલપુર 228 શંખેશ્વર 108 નો સમાવેશ થયો છે.તામમ વિદ્યાર્થીઓ આગામી 14/08/2023 ના રાત્રીના 12:00 વાગ્યા સુધી વેબસાઈટ http//gssyguj.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આધાર-પુરાવા અપલોડ કરવા ના રહશે તો પાટણ જિલ્લા ની 60 શાળાઓ જ્ઞાન સાધના યોજના સ્કોલરશીપમાં જોડાઈ છે.પાટણ શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 838 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધન યોજનાની પરીક્ષા પાસ કરી છે હવે એ તામમ વિદ્યાર્થીઓ તારીખ 7-8-23 થી 14-8-23 સુધી જિલ્લા નું 60 શાળા ની ઓનલાઈન પસંદગી કરવાની થશે.