ધાનેરાની લાધાપુરાગામની સ્કૂલ પાછળ ગંદકી થી રોગચાળાની દહેશત

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પાલિકાની નિષ્કાળજીના કારણે ઠેર-ઠેર ગટર ઊભરાઇ રહી છે. ધાનેરાના લાધાપુરા સ્કૂલ પાછળજ ગંદા પાણી રેલાતા હોવાથી બાળકોને બીમારી ફેલાય તેવી દહેશત છે. અહીંયા સત્વરે સફાઈ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.લાધાપુરા પ્રા. શાળાની પાછળ ગટરના પાણી રોજ ઉભરાતા હોવાના કારણે બાળકોને શાળાના રૂમમાં બેસવુ પણ મુશ્કેલ બન્યુ છે. આ બાબતે શાળાના શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સફાઇ થતી નથી.ધાનેરાના ધરણીધર શોપિંગની પાછળના ભાગે દુકાનદારોના આગળ ગંદા પાણી ભરાઇ રહેતા તેમની દુકાને ગ્રાહકો પણ આવતા નથી. આ બાબતે વિક્રમભાઇ નાઇએ જણાવ્યું હતું કે, પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. તે સિવાય શારદા વિધાલયના રસ્તા ઉપર પણ ગંદા પાણી રેલાતા બાળકોને પસાર થવુ મુશ્કેલ બન્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.