![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/20-6.jpg)
પાટણ જિલ્લાની 63 આચાર્ય ભરતીમાં 57 આચાર્યની ભરતી કરાઈ
ગુજરાત રાજ્ય ની અંદર કમિશનર શાળાની અંદર સમગ્ર રાજ્ય ની અંદર આચાર્યની ભરતી પક્રિયા ચાલી રહી છે પાટણ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય ની 63 જગ્યા માટે ચાણસ્મા ના ઝીલિયા ઉત્તર બુનિયાદી વિધાલય ખાતે જુદી-જુદી તારીખે ઇન્ટરવ્યું યોજાયા હતા.જેમ 57 જેટલા આચાર્ય જિલ્લાની શાળા માં આચાર્ય તારીખે ભરતી કરાઈ હતી .આ 7 જેટલી શાળામાં કોઈ ઉમેદવાર ના આવતા આચાર્ય જગ્યા ખાલી પડી રહી છે.પાટણ જિલ્લાની ગ્રાન્ટેડ અને માધ્યમિક શાળાના આચાર્ય માટે જાહેરાત પડી હતી. જેમાં 707 ઉમેદવારોએ આચાર્ય તરીકેના ફોર્મ ભર્યા હતા અને તમામને મેરીટ યાદી જાહેર કરી લેટર છોડવામાં આવ્યા હતા .આચાર્ય તારીખે ની ભરતી ના ઈન્ટરવ્યું ચાણસ્માના ઝીલીયા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે જુદીજુદી તારીખે યોજાયા હતા જેમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ નિરીક્ષકની પેનલ, તાલુકા મંડળ, સંચાલક મંડળ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાં 63 આચાર્યની ભરતી માટે 57 જેટલી ઉમેદવારોએ શાળાની પસંદગી કરાઈ હતી જ્યારે બાકીના 7 દુધડ ઉત્તર બુનિયાદીવિધાલય દુદખા, આરાધના વિધાલય કુંવર, પી એમ ગોકલાણી ,સંસ્કારધામ બાંધવડ,આઈ એમ જાગૃતિ પટેલ વિધાલય કલ્યાણા, સ્વામી સચિદાનાદ ઉત્તર બુનિયાદી વિધાલય કોરડા અને એક રાધનપુર ની એક શાળામાં એમ કુલ 7 શાળા માટે કોઈ ઉમેદવાર હાજર ન રહેતા આચાર્યની જગ્યા ખાલી પડી છે. જિલ્લા શિક્ષણાધિકારી અશોકચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 63 આચાર્ય ની જગ્યા ખાલી હતી તેમાંથી 57 જગ્યા ભરાઈ છે અને 7 જગ્યા પર કોઈ ઉમેદવાર ના આવતા ખાલી રહી છે.