![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/15-7.jpg)
પાટણ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પાટણ શહેરના મીર દરવાજ ખાતેથી આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભયાત્રાના પ્રસ્થાન પૂર્વે આદિવાસી ગૌરવયાત્રાનું ભારે પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ગૌરવ યાત્રામાં ઉત્સાહ ભેર પરંપરા પ્રમાણે વેશભૂષા, આદિવાસી નૃત્ય, તીર કામઠા, પાણી બચાવો વૃક્ષ બચાવો, પકૃતિ બચાવો, સહિત સ્વચ્છતા અભ્યાન સાથેના ટેબલ સાથે ગૌરવ યાત્રા પ્રસ્થાન પામી હતી. શોભયાત્રા મીરા દરવાજા ભીલવાસથી કેનાલ રોડ જલારામ મંદિર થઈ સુભષચોક થઈ બગવાડા દરવાજા મેન રોડ, હિંગળાચાચર થઈ ત્રણ દરવાજા, ખોખરવાડા ભીલ વાસથી ઉપલ ગેટ થઈ સૂર્યનાગર ચોક ખાતે સમાપન થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો જોડાઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર ભારત વર્ષમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અનુસંધાને આજે પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ‘એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન’ના સૂત્ર સાથે શહેરના મીરા દરવાજા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં જોડાયેલા સમાજના લોકો આદિવાસી સ્વાંગમાં સજ્જ થઇ પોતાની પ્રણાલીને ઉજાગર કરી હતી. ત્યારબાદ શહેરના વિસ્તારમાંથી યોજાયેલી શોભાયાત્રાઓ સૂર્યનાગર ખાતે સમાપન કરવામાં આવી હતી.