શામળાજી કોલેજમાં સંયુક્ત ઉપક્રમે નારી વંદન કાર્યક્રમ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

શામળાજીમાં મહિલા આયોગ અને શામળાજી કોલેજ (સમાજશાસ્ત્ર વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે નારી વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાંથી ચૌધરી ચેતનાબેન અને મકવાણા ભાવનાબેન ઉપસ્થિત રહ્યા હતા. જેમણે 181 એ અભયમ મહિલા હેલ્પલાઇન કઈ રીતના ઉપયોગી બને છે એના વિશેની માહિતી આપી હતી. પ્રેમીલાબેન ખરાડી અને નીરૂબેન પ્રણામી પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વિમેન સેલના શ્રેયાન ડો વર્ષાબેન પટેલ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એન.જે.રેંટિયાએ પ્રિન્સિપાલ ડૉ. એ.કે પટેલના માર્ગદર્શન હેઠળ કર્યુ હતું. સંચાલન ડૉ. જાગૃતિ પટેલ અને આભાર વિધિ ડૉ કલ્પના પટેલ દ્વારા કરાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.