ડીસાના જોરાપુરા ગામના ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી ભીંડાની ખેતી કરી : 35 હજાર થી વધુ આવક મેળવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક પદ્ધતિ અને પોતાની કોઠાસૂઝ થી ખેતી કરી સારૂ ઉત્પાદન મેળવે છે. ખેતીમાં સારૂ ઉત્પાદન મળતા આવક પણ સારી થઈ રહી છે. આ જ રીતે ડીસા તાલુકાના જોરાપુરા ગામના ઓબાજી ઠાકોરે પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિ પ્રમાણે ભીંડાની ખેતી કરી છે. આ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા સારા ઉત્પાદનની સાથે આવક પણ સારી મેળવી રહ્યા છે.ડીસાના જોરાપુરા ગામના ઓબાજી ઠાકોર પાસે માત્ર એક વીઘો જમીન છે.ખેડૂત ઓબાજી ઠાકોરે પોતાની 7 ગુંઠા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિ પ્રમાણે 2500 રૂપિયાના ખર્ચે ભીંડાની ખેતી કરી હતી.માર્કેટમાં 20 થી 25 રૂપિયાનો ભાવ મળતા 35 હજાર કરતા પણ વધુની આવક મેળવી છે. આગામી બે થી ત્રણ મહિના સુધી ઉત્પાદન આપશે. જેથી તેઓને આગામી સમયમાં 60 થી 70 હજારની આવક થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ડીસા તાલુકાના જોરાપુરા ગામ ખાતે રહેતા ઓબાજી દલસાજી ઠાકોર માત્ર ત્રણ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. ઓર્ગેનિક પદ્ધતિથી કરેલા ભીંડા અને વાલોરની ખેતીમાં સારું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્રણ દિવસે 60 થી 70 કિલો જેટલા ભીંડાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.