કાંકરેજ-શિહોરી નજીકનું ઉબરી ડાયવર્ઝનનું રીપેરીંગ કામ શરૂ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ શિહોરી નજીક ઉબરી ડાયવર્ઝન તૂટી ગયુ હતું. જેથી વાહનચાલકોને ખુબ હાલાકી પડી રહી હતી. કંબોઈથી ઉંબરી વચ્ચેનો માર્ગ બંધ થઈ જતાં લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા હતા. ત્યારે હાલ આર એન બી વિભાગે ડાયવર્ઝનનું રીપેરીંગ કામ શરૂ કર્યું છે, બનાસ નદી ઉપર આવેલા ડાયવર્ઝન દાંતીવાડા ડેમમાંથી છોડાયેલા પાણીથી ડાયવર્ઝન તૂટ્યું હતું, જેથી લોકોને હાલાકી પડી રહી હતી જોકે, હાલ રિપેરિંગનું કામ શરૂ કરાતા વાહનચાલકોને ખુબ રાહત થઈ છે.બનાસ નદીમાં પાણીની ખુબ આવક થતા જ બનાસકાંઠાથી પાટણને જોડતા મોટાભાગના માર્ગો બંધ થઈ ગયા છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કાંકરેજ તાલુકાના ઉંબરી પાસે નદી પર બ્રિજ બનતો હોવાથી વાહન ચાલકો માટે નદીમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થઈ જતા આ માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે જેના કારણે અહીંથી પસાર થતા રોજના 2000થી પણ વધુ વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે કારણ કે કંબોઈ થી ઉંબરી વચ્ચે બનેલા આ ડાયવર્ઝન પરથી રોજના હજારો વાહન ચાલકો બનાસકાંઠા થી પાટણ જિલ્લામાં અને પાટણ જિલ્લામાંથી બનાસકાંઠામાં અવર-જવર કરતા હતા પરંતુ હવે આ માર્ગ બંધ થઈ જતા વાહનચાલકોને 20 થી 25 કિલોમીટર દૂર ફરીને જવાની ફરજ પડી રહી છે. તેથી લોકોનો સમય અને ઇંધણ નો વ્યય થઈ રહ્યો છે.નદીનો માર્ગ બંધ થઈ જતા કેટલીક જગ્યાએ લોકો જીવના જોખમે પણ નદીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દોડતું થયું હતુ. જેમાં આજે આર એન બી વિભાગ દ્વારા શિહોરી નજીક ઉંબરી બનાસનદી પર બનાવેલા ડાયવર્ઝન રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન રીપેરીંગ કરી ફરી વાહન ચાલકો માટે રસ્તો શરૂ કરાશે.જેથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.