પાટણ નાનાબાર કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા યાત્રાનું આયોજન કરાયું

પાટણ
પાટણ

પાટણ શહેરના નાનાબાર કડવા પાટીદાર યુવા સંગઠન દવરા સમાજ ના 120 જેટલા વડીલો ને ત્રણ લક્ઝરી મારફતે કાઠિયાવાડની શ્રાવણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજે શહેરના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ ઉમિયા ધામ ખાતે થી પ્રસ્થાન થઈ હતી.પાટણ શહેરના નાનાબાર કડવા પાટીદાર સમાજ દવરા સોમવારે સાંજે 120 જેટલા સિનિયર સિટીઝનોની ધાર્મિક તીર્થયાત્રાનું શહેરના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ ઉમિયા ધામ ખાતે થી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું જેમાં માતાજી ની આરતી કરી સિનિયર સીટીઝન યાત્રા પાટણ થી બહુચરાજી ,દ્વારકા સિદસર સિદસર રાત્રી રોકાણ ત્યાંથી સવારે સોમનાથ થી ગાઠીલ રાત્રી રોકાણ થી ભવનાથ ,કાગવડ, વીરપુર ચોટીલા સહિત સહિત ધાર્મિક તીર્થ સ્થળોના સમાજ ના વડીલો ને દર્શન કરાવશે.આયોજક આશિષ પટેલ જણાવ્યું હતું કે અમારા નાનાબાર કડવા પાટીદાર સમાજના સિનિયર સિટીઝનોને ધાર્મિક યાત્રા કરે એવી ઇચ્છા થતા નાનાબાર કડવા પાટીદાર સમાજ યુવા સંગઠન દવરા આયોજન કર્યું હતું.ત્યારે આજે 120 જેટલા વડીલોની સિનિયર સીટીઝન યાત્રા આજે પ્રસ્થાન થઈ છે એ તામમ વડીલો નું સન્માન પણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.