અમીરગઢ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ માં સરકારી વિનયન કોલેજ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અને સપ્તધારાના ગીત સંગીત નૃત્ય ધારા અન્વયે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી સાહિત્યકારોએ લખેલા તથા અન્ય દેશભક્તિ ગીતો ગાયનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . કેટલાક વિદ્યાર્થીઓએ સંગીતના વાજિંત્રો સાથે અસરકારક અભિવ્યક્તિ કરી હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા હિન્દી વિભાગના પ્રોફેસર નરેશ જોષી તથા અંગ્રેજી વિભાગના પ્રોફેસર ફરહિના શેખે ભજવી હતી જેમાં વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતા. કાર્યક્રમ વિશે સંસ્કૃત વિભાગના ડો. મંજુલાબેન પરમાર એ માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ અંગ્રેજી વિભાગના પ્રો. હિરેન ચૌધરીએ કરી હતી કાર્યક્રમનું સુચારું આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગ દ્વારા અધ્યક્ષ પ્રો. ડો. મહેશ પ્રજાપતિ અને ડૉ. વર્ષા એન ચૌધરીએ આચાર્ય ડો. એન .કે .સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.