દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામના તળવામાં ડૂબી જતા યુવકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડાના ઓઢવા સુદરપુરા ગામના તળવામાં એક યુવક ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. જેમાં યુવક તળાવમાં ડૂબ્યાના જાણ ગામના સ્થાનિકો તરવૈયાઓ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી તળાવમાં યુવક ની શોધખોળ હાથ ધરી હતી.જોકે ભારે જહેમત બાદ યુવકને તળાવ માંથી બહાર નીકળવામાં આવ્યો હતો. આજે દાંતીવાડા તાલુકાના ઓઢવા શુદરપુરા ગામના તળાવમાં યુવક ડૂબતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જેમાં ગામ નજીક તળાવમાં યુવક ડૂબવાની જાણ ગામના સરપંચ રણજિતસિંહ તેમજ ભમરસિંહ મેહતાપસિંહ, કિરીટસિંહ સિદ્ધાર્થસિંહ આગેવાનો તેમજ તરવૈયા તાત્કાલિક તળાવ જોડે પોહોચ્યાં હતા. જોકે સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર નિકાળવામાં આવ્યો હતો. યુવકને બહાર નીકાળી ગામના સરપંચ દ્વારા દાંતીવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.