![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-4.jpg)
પાટણમાં કોઠાકૂઇ વિસ્તારમાં ટેન્સનમાં રહેતા એક વ્યકિતએ ગળે ફાંસો ખાધો
પાટણ શહેરનાં કોઠાકૂઈ દશામાતાનાં મંદિર પાસે એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે રાધનપુરના અરજણસર ગામની સીમમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેનું મોત થયું હતું.પાટણનાં કોઠાકૂઇ વિસ્તારમાં રહેતા હેદુજી સોમાજી ઠાકોર છેલ્લા એક મહિનાથી ટેન્સનમાં રહેતા હોવાથી તેઓએ બપોર બાદ સાડા ચારેક વાગ્યાનાં સુમારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે પોલીસને જાણ થતાં એ ડીવીઝન પી.એસ.આઇ. આર.ટી. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ને જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગે લાલાજી સોનાજી ઠાકોરે નોંધ કરાવી હતી.આ ઉપરાંત રાધનપુરનાં અરજણસર ગામની સીમમાં રહેતા પાકિસ્તાન નાગરિક મોહન હમેરો (ઉ.વ. 80) રે. નુરલ અમીન ભચાણી, તા.જી. ટન્ડો, અલિયાર, સિંધ રાજ્ય, પાકિસ્તાનવાળા વિઝા ઉપર ભારતમાં હતા ને અરજણસર ગામે રહેતા હતા તેઓને હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. જે અંગે તેમનાં પુત્ર વિરૂ મોહને ફરીયાદ નોધાવી હતી.