હિંમતનગર તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યાંક વરસાદ વરસ્યો નથી. જળાશયમાં પણ પાણીની આવક ઘટી ગઈ છે. ચોમાસામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ હિંમતનગર તાલુકામાં નોંધાયો છે.ભારે વરસાદની આગાહી વચ્ચે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાય છે, પરંતુ વરસાદ ક્યાય નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ક્યાય વરસાદ નોધાયો નથી. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાંશ 607.63 મીમી એટલે કે 70.81 ટકા વરસાદ નોંધાયો છે. આઠ તાલુકામાં વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં 747 મીમી એટલે કે 80.30 ટકા સૌથો ઓછો વરસાદ હિંમતનગર તાલુકામાં 465 મીમી એટલે કે 54.39 ટકા નોધાયો છે.બાકીના ખેડબ્રહ્મા 658 મીમી એટલે કે 78.33 ટકા, વિજયનગર 556 મીમી એટલે કે 65.64 ટકા, વડાલી 494 મીમી એટલે કે 56.14 ટકા, ઇડર 579 મીમી એટલે કે 58.66 ટકા, પ્રાંતિજ 684 મીમી એટલે કે 83.52 ટકા અને તલોદ 678 મીમી એટલે કે 85.71 ટકા વરસાદ નોંધાયો છે.સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ઘટી છે. તો 72.67 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 30 કયુસેક પાણીની આવક, 59.22 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 170 કયુસેક પાણીની આવક સામે 170 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો તલોદ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદી પર આવેલા જવાનપુરા બેરેજમાં 23 કયુસેક પાણીની આવક તો સામે 23 કયુસેક પાણીની જાવક અને ગોરઠીયા બેરેજમાં 150 કયુસેક પાણીની આવક સામે 150 કયુસેક પાણીની જાવક નોંધાઇ છે. તો 87.14 ટકા ભરાયેલ ધરોઈ જળાશયમાં 2831 કયુસેક પાણીની આવક સામે બે ગેટમાંથી 2831 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.