અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને કલેકટર વરુણ કુમાર બરણવાલ સ્થળ નિરીક્ષણ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૨૩/૦૯/૨૦૨૩ થી ૨૯/૦૯/૨૦૨૩ સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી લાખો પદ યાત્રિકો શ્રદ્ધાપૂર્વક માં ના દર્શને આવી ધન્યતા અનુભવતા હોય છે. મેળા માં આવનાર દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સવલતો અને સગવડો સચવાય એ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ વરુણકુમાર બરનવાલ, જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અને અંબાજી મંદિર વહીવટદાર સુ સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓએ આવનાર પદયાત્રીઓ માટે કરવામાં આવનાર તમામ વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ યાત્રિકો માટેની દર્શન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ , ભેટ કેન્દ્રો વગેરે સ્થળોની મુલાકાત લઇ આયોજન અંગે જરૂરી સમીક્ષા કરવામાં કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.