વિસનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો હરિયાણાના નુંહમાં મંડળ યાત્રામાં થયેલી હિંસાનો વિરોધ

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આજરોજ બજરંગ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા હરિયાણાના નૂંહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન થયેલી હિંસામાં હિંદુઓના મોત થતાં સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.વિસનગરના બજરંગ ચોક ત્રણ દરવાજા ટાવર ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં હરિયાણાના નુંહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળની યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઢવામાં આવી હતી. જેમાં રેલીમાં સામેલ લોકો તેમજ સ્થાનિક મુસ્લિમ લોકો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો. જેમાં ગોળીબારમાં હિન્દુ સમાજના લોકોનું મોત થતા તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોએ હાજર રહી રામધૂન પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.