ઊંઝા શહેરમાં રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેરમાં ઠેર-ઠેર ચોમાસા દરમિયાન રખડતાં ઢોરોનો ત્રાસ વધી જવા પામ્યો છે. ઊંઝા શહેરમાં બે રખડતાં ઢોર લડતા બહારમાઢ ખાતે બેઠેલ આધેડને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતુ.ઊંઝા શહેરમાં આવેલ રૂસાત ચોરો ખાતે રહેતા યોગેશભાઈ કનૈયાલાલ આચાર્ય બહારમાઢ રામદેવપીરના મંદિર નજીક નાળાની પાળી પર બેઠા હતા. તે દરમિયાન અચાનક આજે સવારના સમયે બે ગાયો લડતાં લડતાં અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેને લઇ સ્થાનિકો તેમજ કોર્પોરેટર ધટના સ્થળે પહોચી ગયા હતા. આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ઊંઝા નગરપાલિકા વિરોધ પક્ષના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, ઊંઝા શહેરમાં રખડતાં ઢોરને લઈ એક આધેડનું મોત નિપજ્યું હતુ. આ રખડતાં ઢોરને લઈને ઊંઝા નગરપાલિકાને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે. પણ તે મતોની રાજનીતિ કરે છે. રખડતાં ઢોરને લઈ સ્કૂલે જતાં બાળકો રાહદારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે.ઊંઝા પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર કેમ સાંભળતા નથી તંત્ર કયારે જાગશે ખરા ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.