ધરોઈના બે ગેટ ખોલવામાં આવ્યા: હરણાવ જળાશય વોર્નિંગ સ્ટેજે પર પહોંચ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાદળોથી ઘેરાયેલું આકાશ હતું. જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ વરસ્યો નથી, પરંતુ ઉપરવાસમાં વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. ત્યારે હરણાવ જળાશય 70 ટકાથી વધુ ભરાઈ જતા વોર્નિગ સ્ટેજને લઈને તંત્રને સાવચેત રહેવા જાણ કરાઈ છે. તો ધરોઈ જળાશયમાં બે દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદીમાં પાણીનો વધારો થયો છે. બુધવારે વહેલી સવારથી ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે.87.27 ટકા ભરાયેલા ધરોઈ જળાશયના બે દરવાજા સાડા-ત્રણ-ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે અને 12,888 ક્યુસેક પાણીની આવક સામે 12,888 ક્યુસેક પાણની જાવક નદીમાં ચાલી રહી છે. જેને લઈને સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં પાણી વધી ગયું છે.સાબરકાંઠા જિલ્લાના હરણાવ જળાશયમાં પાણીની આવક ચાલી રહી હોવાને લઈને વોર્નિગ આપવામાં આવી હતી. ત્રણ ગેટ ધરાવતો 71.11 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 60 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો પાણી છોડવામાં આવી શકે છે. જેને લઈને વિજયનગર તાલુકાના હરણાવ નદી કિનારાના 7 અને ખેડબ્રહ્મા તાલુકાના 3 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. જળાશય 70 ટકાથી વધુ ભરાયો છે. જેને લઈને વોર્નિગ સ્ટેજ આવતા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે. તો વોર્નિગ સ્ટેજમાં પાણીની આવક વધે તો અને પાણી છોડવાની પરિસ્થિતિ ઉભી થાય તો હરણવા નદી કિનારાના વિજયનગર તાલુકાના અભાપુર, બંધણા, મતાલી, વીરપુર, ધોળીવાવ, આંતરસુબ્બા, આંતરી અને ખેડબ્રહ્મા તાલુકાના વાઘા કમ્પા, સગરામપુરા કમ્પા અને સીલવાડ ગામો પ્રભાવિત થઇ શકે છે. જેને લઈને તંત્રને જાણ કરવામાં આવી છે. જ્યારે ડિજાસ્ટર વિભાગે પણ વિજયનગર અને ખેડબ્રહ્મા મામલતદાર અને અસરગ્રસ્ત થતા ગામોના તલાટી કામ મંત્રી અને રેવન્યુ તલાટી હાજર રહેવા અને સાવચેત કરવા જાણ કરવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લાના જળાશયોની વાત કરવામાં આવે તો 71.11 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 60 ક્યુસેક પાણીની આવક, 58.53 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 500 ક્યુસેક પાણીની આવક સામે 500 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો તલોદના મેશ્વો નદી પરના જવાનપુરા બેરેજમાં 148 ક્યુસેક પાણીની આવક સામે 148 ક્યુસેક પાણીની જાવક તો ગોરઠીયા બેરેજમાં 200 ક્યુસેક પાણીની આવક સામે 200 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો 87.27 ટકા ભરાયેલ ધરોઈ જળાશયમાં બે ગેટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉપરવાસમાં વરસાદને લઈને 12,888 ક્યુસેક પાણીની આવક સામે નદીમાં 12,888 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.