ખેડબ્રહ્મામાં અધિક માસની પૂનમે 50 હજાર ભક્તોએ માતાજીના દર્શન કર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં અધિક માસની પૂનમે સવારથી ભક્તોની ભીડ જામી હતી. તો દિવસ દરમિયાન 50 હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. બે લાખ રૂપિયાની પ્રસાદનું વિતરણ થયું હતું અને માતાજીને સંઘો દ્વારા મીઠાઈનો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો.અધિક શ્રાવણ માસની પુનમને લઈને મહત્વ વધુ છે. ત્યારે મંગળવારે વહેલી સવારે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરમાં અંબાજી જતા સંઘો દ્વારા કમળ પર સવાર અંબિકા માતાજીને મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. મંગળા આરતી બાદ માતાજીના દર્શન માટે ભક્તોનો ધસારો વધ્યો હતો. આખો દિવસ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું હતું. દિવસ દરમિયાન જિલ્લાના અને રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી 50 હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને રૂપિયા બે લાખના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતું. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અધિક શ્રાવણ માસને લઈને ભક્તોનો મંદિરમાં ધસારો વધુ હતો. દિવસ દરમિયાન મંદિરમાંથી રૂપિયા બે લાખના પ્રસાદનું વિતરણ થયું હતું. 50 હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. અધિક શ્રાવણથી તહેવારો શરુ થયા છે. ત્યારે દેવ દિવાળી સુધી ભક્તોનો ઘસારો વધુ રહેશે. ભક્તોના રહેવા અને જમવા માટે પણ અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરેલી છે અને મંદિર બહાર પણ વિકાસ કામની શરૂઆત વધી ગઈ છે અને પાણીના કુંડને પથ્થરોથી બનવવામાં આવી રહ્યો છે.અધિક શ્રાવણ માસની પૂનમે સ્વયંભૂ ભોલેશ્વર દાદાને ફૂલોનો શણગાર હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવને આજરોજ અધિક શ્રાવણ માસની પુનમને લઈને 4 કિલો ગુલાબના ફૂલ સાથે બીલીપત્રો અને અન્ય ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હોવાનું મંદિરના પુજારી તરુણ ચોબીસાએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.