યાત્રાધામ શામળાજીમાં અધિક પૂર્ણિમાની ઉજવણી કરાઈ : મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

અરવલ્લી
અરવલ્લી

આજે ઉત્તર ગુજરાતના એક માત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાના દર્શનનું અનેરું મહત્વ છે. આજે અધિક માસની પૂર્ણિમા છે.આજના દિવસે યાત્રાધામ શામળાજીમાં ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.ત્યારે આજે ભગવાન શામળિયાના દર્શન માટે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. દૂર-દૂર થી અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ભક્તો લાંબી-લાંબી લાઇનમાં ઉમટી પડ્યા છે. અધિક માસમાં અધિક પુણ્ય મળે એવી ભાવના સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા ભગવાનને પણ સુંદર મજાના વાંઘા પહેરાવીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે. ભક્તો ભગવાનનું સ્વરૂપ નિહાળી ધન્ય બન્યા છે. આજના દિવસના ભગવાન શામળિયાના તમામ મનોરથના દર્શનનો ભક્તો દિવસ દરમિયાન લાભ લીઘો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.