અંબાજી-ખેડબ્રહ્મા હાઇવે માર્ગ પર ગત મોડી રાત્રે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ચાર ગાયોના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ચોમાસામાં સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ જતાં પશુઓ પોતાના બચાવ માટે સલામત સ્થળે જવાનો પ્રયાસ કરે છે. તેમજ ક્યારેક રસ્તામાં ક્યારેક એવી ઘટના બની જતી હોય છે. જેના કારણે પશુઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેવી જ એક ઘટના અંબાજી-ખેડબ્રહ્મા હાઇવે માર્ગ પર બનવા પામી હતી. જ્યાં એક સાથે 4 ગાયને ટક્કર મારી એક વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ચારેય ગાયોએ પોતાના જીવ ગુમાવ્યા છે.મોડી રાત્રે અંબાજી-ખેડબ્રહ્મા હાઇવે માર્ગ પર આવેલા ચિખલા નજીક એક અંજાણ્યા વાહન ચાલકે ઓવર સ્પીડના કારણે ચાર ગાયોને અડફેટે લીધી હતી. પૂરપાટ સ્પીડે આવતા અંજાણ્યા વાહનચાલકે ચાર ગાયોને ટક્કર મારતા ગાયોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જેને લઈને સમગ્ર વિસ્તાર અને પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગાયને મોતને ઘાટ ઉતારનાર વાહનચાલક વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.