હિંમતનગરમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતાં ખેડવા જળાશયમાં પાણીની આવક

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે વિરામ લીધો છે. ઉપરવાસમાં વરસાદ વરસવાને લઈને ખેડવા જળાશયમાં પાણીની આવક વધી છે. તો ધરોઈમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. હિંમતનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા.જિલ્લામાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાંશ 599.88 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકા પ્રમાણે વાત કરીએ તો, ખેડબ્રહ્મામાં 657 મીમી, વિજયનગરમાં 545 મીમી, વડાલી 493 મીમી, ઇડર 573 મીમી, હિંમતનગર 461 મીમી, પ્રાંતિજ 679 મીમી, તલોદ 673 મીમી અને પોશીનામાં 718 મીમી વરસાદ નોધાયો છે. એટલે કે સૌથી વધુ વરસાદ પોશીનામાં 718 મીમી અને સૌથી ઓછો હિંમતનગર 461 મીમી નોધાયો છે.સાબરકાંઠા જિલ્લાના જળાશયોનો વાત કરવામાં આવે તો 70 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં 30 કયુસેક પાણીની આવક, 58.14 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 1000 કયુસેક પાણીની આવક સામે 1000 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો તલોદના મેશ્વો નદી પરના જવાનપુરા બેરેજમાં 148 કયુસેક પાણીની આવક સામે 148 કયુસેક પાણીની જાવક તો ગોરઠીયા બેરેજમાં 200 કયુસેક પાણીની આવક સામે 200 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે.86.56 ટકા ભરાયેલ ધરોઈ જળાશયમાં એક ગેટ ખુલ્લો છે. જયારે ઉપરવાસમાં વરસાદને લઈને 4836 કયુસેક પાણીની આવક સામે નદીમાં 4836 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.