રાધનપુરના વડલારામાં ઠેર-ઠેર ગંદકી ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત

પાટણ
પાટણ

પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીની સમસ્યા સતત વધી રહી છે. યોગ્ય સાફ સફાઈ ન થતા ગામમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેથી રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. લોકો ગંદા પાણીમાંથી જવા મજબૂર બન્યા છે.ભરવાડ વાસમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. ગ્રામ પંચાયતને જાણ કરતા હકારાત્મક વલણ દર્શાવી રહ્યા છે, ગામનાં સરપંચ- તલાટી આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય એટલું બની ચૂક્યું છે કે રોગચાળો ફેલાઇ રહ્યો છે. મચછરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ઘણા સમયથી વિસ્તારમાં રહેતા લોકો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે.ભરવાડ વાસથી સ્કૂલ જતાં બાળકો પણ આ ગંદકીમાંથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ઉંમર લાયક માણસો ઘણીવાર અહીંયા લપસી જતાં અકસ્માત સર્જાતા હોસ્પિટલ જવા મજબુર બન્યા છે. તલાટી, સરપંચ દ્વારા ગામમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. તેમજ ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ સતાધીશોનાં પેટનું પાણી હલ્યું નથી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા દવા છંટકાવ કરવામાં આવે તેમજ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને ગંદકી દૂર કરી સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.