ડીસાના રાણપુર ગામમાં મરચાની ખેતી કરી 2.5 લાખના ખર્ચે 15 લાખની આવક મેળવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાના કારણે મોટાભાગના ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બિપોરજોય વાવાઝોડાના કારણે તે સમયે કરેલી ખેડૂતોએ શાકભાજીના પાક પર ભારે અસર થતા ઉત્પાદનામ ઘટાડો નોંધાયો હતો.જેના કારણે શાકભાજીના ભાવ એકા-એક ઉંચકાઈ ગયા હતા. પરંતુ બિપોરજોય વાવાઝોડું અમુક ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે.બનાસકાંઠા જિલ્લાના ડીસાના રાણપુર ગામે દિલીપકુમાર ભાકોદરા નામના યુવાન ખેડૂતે અઢી લાખના ખર્ચે પોતાના ત્રણ વીઘા ખેતરમાં મરચાની ખેતી કરી હતી.બિપોરજોય વાવાઝોડાના કારણે એકાએક શાકભાજીના ભાવ ઊંચકાતા 2.5 લાખના ખર્ચ સામે તેઓને 15 લાખ રૂપિયાની આવક થઈ છે.ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસમાં રહેતા 23 વર્ષીય દિલીપકુમાર નટવરજી ભાકોદરાએ એમ.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે.વર્ષ 2021માં તેઓના પિતાજીનું અવસાન થતા દિલીપકુમાર ખેતીના વ્યવસાયમાં જોડાયા હતા.દિલીપકુમાર ભાકોદરાનો પરિવાર વર્ષોથી સીઝન આધારિત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.દિલીપકુમાર ભાકોદરા છેલ્લા પાંચ વર્ષથી મરચાની ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે વાવેતર વધારવાના સંકલ્પ સાથે તેઓએ 3 વીઘા જમીનમાં લગભગ 15000 છોડ લાવી ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી મરચાની ખેતી કરતા, ચાલુ વર્ષે દસ દિવસમાં 13 કિલોના 450થી 500 ઝબલા મરચાનું ઉત્પાદન થયું હતું.માર્કેટમાં મરચાનો કિલોનો 60 થી 70 રૂપિયા ભાવ મળતા સીઝનમાં તેઓને 15 લાખ રૂપિયાની આવક થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.